ભરુચમાં મોડી રાતે બની દુર્ઘટના, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીના પ્લાન્ટમાં ભભૂકી આગ; આટલા કામદારો જીવતા ભડથું થયા

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ગુજરાત માં આગના બનાવો ઉત્તોરત્તર વધી રહ્યા છે. ત્યારે ભરુચના દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં મોડી રાતે બ્લાસ્ટ થયો હતો.

આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા છ કામદારોના મોત નીપજ્યા છે. 

જોકે એક કામદારનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. હાલ શોધખોળ ચાલુ છે. 

કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.

ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : રામનવમી પ્રસંગે અનેક રાજ્યોમાં પથ્થરમારો અને આગચંપી. ગુજરાતમાં આ જગ્યાએ કરફ્યૂ લદાયો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More