Road Accident : મુંબઈ-નાગપુર હાઈવે પર ટ્રક અને એસટી વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત; આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત..

બસના ચાલક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

by kalpana Verat
6 killed, over 13 injured after truck collides with state bus on Mumbai-Nagpur old highway

 News Continuous Bureau | Mumbai

Road Accident : બુલઢાણાના સિંદખેડારાજા ખાતે ટ્રક અને એસટી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. સ્પીડમાં આવતી ટ્રક અને એસટી વચ્ચેની ટક્કરથી આ ભયાનક અકસ્માત સર્જાયો છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને સિંદખેડારાજા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત સ્થળે પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

અકસ્માતગ્રસ્ત બસ સંભાજીનગરથી વાશીમ તરફ જઈ રહી હતી. સિંદખેડારાજા નજીક પલાસખેડ ચમકટ ગામ પાસે સવારે 6.15 વાગ્યાની વચ્ચે ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. બસના ચાલક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે મુંબઈ-સંબાજીનગર-નાગપુર હાઈવે પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જેથી બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: બિહારની રાજનીતિ: પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી, કહ્યું લખી રાખો CM નીતિશ કુમારનું ‘ભવિષ્ય’ આવું હશે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More