Site icon

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર

Chhattisgarh Naxal Attack:

Chhattisgarh Naxal Attack:

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર. 

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અત્યાર સુધી આ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોએ અત્યાર સુધીમાં 6 નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. સાથે જ ઘટનાસ્થળેથી ઘણા હથિયારો પણ મળી આવ્યા છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ કિસ્તારામ પોલીસ મથકના જંગલ વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફની સામે નક્સલવાદીઓએ વચ્ચે આ અથડામણ સર્જાઇ હતી. તેલંગાણા અને છત્તીસગઢ પોલીસ તેમ જ સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોને આ સફળતા મળી છે. બાતમીના આધારે અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોંડેરાસ ગામના જંગલમાં સુરક્ષા દળના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. 

નવા વર્ષ પહેલા હિમાચ્છાદિત થયા ઉત્તરાખંડ શિખરો, આ વિસ્તારોમાં ફરી એકવાર થઇ હિમવર્ષા; જુઓ સુંદર તસવીરો અને વિડીયો…

દંતેવાડા જિલ્લાના એસપી અભિષેક પલ્લવે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે સુરક્ષા દળોએ જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોંડેરાસ ગામના જંગલમાં એક એન્કાઉન્ટરમાં મલંગર એરિયા કમિટીના સભ્ય હિદમે કોહરામે અને ચેતના નાટ્ય મંડળીના પ્રભારી પોઝાને મારી નાખ્યા. પલ્લવે જણાવ્યું કે નક્સલવાદી અરાજકતાના માથા પર ૫ લાખ રૂપિયા અને પોઝાના માથા પર ૧ લાખ રૂપિયાનું ઈનામ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એક 7.62 એમએમ પિસ્તોલ, પાંચ કિલો IED અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે તેલંગણા અને છત્તીસગઠ વિસ્તાર નકસલવાદીઓથી સૌથી વધારે પ્રભાવિત છે, અવારનવાર નકસલીઓ સાથે અથડામણના સમાચાર આવે છે. તાજેતરમાં જ સુરક્ષા દળોએ બલરામપુર જિલ્લામાં નક્સલીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.  

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version