Site icon

7 ટાપુનું બનેલું મુંબઈ 7 ઝોનમાં વેચાયું 7 IAS અધિકારીઓ કરશે મોનીટરીંગ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

09 મે 2020 

કોવિડ- 19 ના કેસ સતત વધી રહ્યા હોવાથી, ગુરુવારે એક પરિપત્ર બહાર પાડી જણાવાયું હતું કે શહેરના સાત ઝોનને સાત આઈએએસ અધિકારીઓ મોનીટરીંગ કરશે., જેમાં તમામ 24 નાગરિક વોર્ડને આવરી લેવાયા છે. તેમને 10 થી 20 દિવસ સુધીના પોઝિટિવ કેસના ડબલિંગ રેટમાં સુધારો કરવાના પ્રયત્ન કરવા પડશે એમ પણ કહેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન સાથે બીએમસીના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બાદ ગુરુવારે આ પરિપત્ર જાહેર કરાયો હતો. આ તમામ સાત લોકોએ દરરોજ સવારથી બપોર 2 વાગ્યા સુધી પોતાના વિસ્તારોની મુલાકાત લેવી પડશે અને બપોરે 3 વાગ્યા પછી ઓફિસમાં હાજર રહેવું પડશે. કમિશનર દ્વારા સાંજના 6 વાગ્યે દૈનિક કાર્યની બ્રીફિંગ અપાશે. એક્શન પ્લાનમાં હકારાત્મક કેસોની મેપિંગ, ઉચ્ચ અને ઓછા જોખમવાળા સંપર્કોને શોધી કાઢવા, કન્ટેન્ટ ઝોનનો કડક અમલ કરવો, ઘર-ઘર-સર્વેક્ષણ અને સર્વેલન્સ, સિનિયર સિટિઝન્સની ઓળખ અને તેમની સારવાર, તાવ ક્લિનિક્સનું સંચાલન, ખાનગી નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલો, રોગનિવારક વ્યક્તિઓનું પરીક્ષણ અને કોવિડ કેર સેન્ટર્સ 1 અને 2 ની ખાતરી કરી વ્યવથીત રીતે કામ કરવામાં આવે એની ખાતરી તમામ 7 અધિકારીઓએ રાખવી પડશે..

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version