Site icon News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક

શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, મુખ્યમંત્રીએ રાઉતના દાવાને 'ગીધડ ભભકી' ગણાવી ઠેકડી ઉડાડી.

Devendra Fadnavis vs Sanjay Raut મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો!

Devendra Fadnavis vs Sanjay Raut મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો!

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis vs Sanjay Raut   મુંબઈમાં શિવસેના સાંસદ સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા “10 મિનિટમાં મુંબઈ બંધ” કરવાના દાવા પર રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ નિવેદનને ખોખલી ધમકી ગણાવીને કડક વળતો પ્રહાર કર્યો છે. ફડણવીસે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ભાજપ આવી નિવેદનબાજીથી ડરવાની નથી અને રાઉત હવે પોતાના ઘરની આસપાસનો વિસ્તાર પણ બંધ કરાવી શકે તેમ નથી.

Join Our WhatsApp Community

સંજય રાઉતે શું કર્યો હતો દાવો?

એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિવસેનાની સૌથી મોટી રાજકીય તાકાત આજે પણ એ જ છે કે તે માત્ર 10 મિનિટમાં આખું મુંબઈ બંધ કરાવી શકે છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં હાર-જીત તો ચાલતી રહે છે, પરંતુ તેમની સંગઠનાત્મક શક્તિ આજે પણ અકબંધ છે. રાઉતે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી ઠાકરે પરિવાર છે ત્યાં સુધી જ મરાઠી અસ્મિતા અને મુંબઈ સુરક્ષિત છે, અને આ વાત દેવેન્દ્ર ફડણવીસ અને વિનોદ તાવડે પણ સારી રીતે જાણે છે.

ફડણવીસે યાદ અપાવ્યો એકનાથ શિંદેનો બળવો

દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉતના દાવાને પાયાવિહોણો ગણાવતા જૂની ઘટના યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને ગુવાહાટી જવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે પણ શિવસેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે શિંદે મુંબઈમાં પગ નહીં મૂકી શકે. તેમ છતાં, શિંદે 50 ધારાસભ્યો સાથે મુંબઈ આવ્યા, રસ્તાઓ પરથી રાજભવન ગયા અને બાદમાં સરકાર પણ બનાવી. ફડણવીસે કહ્યું કે આ બધું જાહેરમાં થયું હતું, તેથી રાઉતના વર્તમાન દાવાઓ માત્ર વાતો છે જેની જમીન પર કોઈ અસર નથી.

આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…

બાલાસાહેબના યુગની શક્તિ હવે નથી રહી – મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે બાલાસાહેબ ઠાકરેના સમયમાં એક ઈશારે મુંબઈ બે કલાકમાં બંધ થઈ શકતું હતું, પરંતુ હવે તેવી તાકાત શિવસેનામાં રહી નથી. ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં રાઉત માત્ર આખો દિવસ આવા નિવેદનો આપીને હેડલાઈન્સ મેળવવાનો પ્રયાસ કરે છે. તેમણે બેધડક જણાવ્યું કે ભાજપ અને હાલની સરકાર આવી ‘ગીધડ ભભકીઓ’ થી ડરવાની નથી. આ નિવેદનબાજીએ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વાતાવરણ વધુ ગરમાવી દીધું છે.

Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US Iran Peace Talk 2: શાંતિની દિશામાં મોટું ડગલું: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટોની તારીખ જાહેર!
Hormuz Crisis: હોર્મુઝમાં ‘ડ્રેગન’ અને ‘અમેરિકા’ વચ્ચે જંગના એંધાણ! ટ્રમ્પની આક્રમકતા સામે ચીને ઉતાર્યું નૌકાદળ
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Exit mobile version