Site icon

આદિવાસી સમાજના વિરોધથી ડરી સરકાર? નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી નર્મદા-તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. આદિવાસીઓના દ્વારા થઈ રહેલા વિરોધને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું હતું. આદિવાસીઓના આકરા વિરોધને પગલે કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું હતું અને હાલ પૂરતો આ પ્રોજેક્ટ પર સ્ટે મૂકી દેવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મળી મોટી રાહત, ઠાકરે સરકારે પોતાના આ આદેશને પરત ખેંચ્યો; જાણો શું છે સમગ્ર મામલો

નર્મદા-તાપી પાર લિંક પ્રોજેક્ટને કારણે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને પોતાની જમીન ગુમાવાનો ડર છે. તેથી લાંબા સમયથી તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર વિસ્તારમાં બે સૂચિત ડેમ બનાવવામાં આવવાના છે. તેથી આદિવાસીઓને જમીન વિહોણા થવાની બીક છે. તેઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાદ દ્વારા ઠેર ઠેર રેલીઓ કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાઈ રહ્યા હતા. કોંગ્રેસનો પણ તેમાં સહકાર મળ્યો હતો.
આ દરમિયાન આદિવાસી સમાજના સતત વિરોધ અને રેલીઓ બાદ સોમવારે આદિવાસી સંગઠને દિલ્લીમા પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સિંચાઈ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત વગેરે સાથે ચર્ચા કરીને પ્રોજેક્ટને સ્થગિત કરવાની માગણી હતી, જેના પર ભારે ચર્ચા બાદ કેન્દ્રે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે તેને આદિવાસીઓની જીત ગણાવી હતી.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version