Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે વધુ એક દાવો, કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ હવે કર્યો આ દાવો..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

યુપીના(UP) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. 

હવે કાશી વિશ્વનાથ મંદિરના(Kashi Vishwanath Temple) મહંતે ફરી દાવો કર્યો છે કે, મસ્જિદના ભોંયરામાં ખજાનો છુપાયેલો છે.

મીડિયા સાથેની વાતચીતમાં મંદિરના મહંત કુલપતિ તિવારીએ કહ્યું કે, જ્ઞાનવાપીની પૂર્વ દિશામાં બનેલા ભોંયરામાં ખજાનો છુપાયેલો છે. આ જગ્યા ઐશ્વર્ય મંડપ(Aishwarya Mandap) તરીકે ઓળખાય છે.

મહંતે સ્કંદ પુરાણના શ્લોકો થકી પોતાની વાતને સાબિત કરવાનો પ્રયત્ન કરતા કહ્યુ કે, લોકો જેને ભોંયરુ કહે છે તેની નીચે ખજાનો પણ છે.

અગાઉ તેમણે જ્ઞાનવાપી મસ્જિદમાં એક શિવલિંગ(Shivling) હોવાનો દાવો પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ જ્ઞાનવાપી મસ્જિદના કરવામાં આવેલા સર્વે બાદ વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યુ હોવાનો દાવાનો મામલો કોર્ટમાં છે અને આગામી દિવસોમાં અદાલત ચુકાદો આપે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :   રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version