Site icon

અહો આશ્ચર્યમ : શું અનિલ દેશમુખ તમામ આરોપ મુક્ત? સો કરોડની વસુલે સંદર્ભે કોઇ સબૂત નથી. જાણો દિવાળી પહેલા કઈ રીતે મળી ક્લિનચિટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ શું છૂટી જશે? હાલ એવું જ લાગી રહ્યું છે. વાત એમ છે કે અનિલ દેશમુખ પર પોલીસ વિભાગને સો કરોડ રૂપિયાની વસૂલી નો ટાર્ગેટ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ આરોપ ખુદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ દ્વારા લગાડવામાં આવ્યો હતો. હવે આ મામલે નાટ્યાત્મક વળાંક આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બનાવવામાં આવેલા તપાસ પંચ એટલે કે ચાંદીવાલ આયોગ સમક્ષ પરમવીર સિંહ દ્વારા એક એફીડેવીટ દાખલ કરવામાં આવી છે. પોતાની એફિડેવિટમાં પરમવીર સિંહે જણાવ્યું છે કે તેમની પાસે પોતાના આરોપોને પુરવાર કરવા માટે કોઈપણ પ્રકારનો એવિડન્સ નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને દેશમુખ ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ ચાર દિવસની ન્યાયિક કોટડીમાં છે. તેઓ પાંચ મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ આશ્ચર્યજનક રીતે પ્રકટ થયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે હાજર થયા હતા.

હવે આખી વાર્તામાં નાટ્યાત્મક વળાંક આવ્યા પછી એવું લાગી રહ્યું છે કે પડદા પાછળ કોઈ મોટી રમતો નથી થઈ ને?

 

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version