Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેનના પ્રવાસને લઈને મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

શુક્રવાર.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માંગો છો, તો તમારે કોરોના રસીના બંને ડોઝ લેવાનું આવશ્યક રહેશે. કારણ કે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો  છે.

દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી વધુ રહ્યું છે. તેમાં પણ હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. તેથી નાગરિકોને જલદમાં જલદ કોવિડ પ્રતિબંધક વેક્સિન લેવાની હાકલ કરવામાં આવી રહી છે. છતાં હજી લાખો લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે ત્યારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા નથી તેમના માટે ટ્રેન મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારનો નિર્ણય કાયદેસર છે.

રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે નાગરિકોએ બંને ડોઝ લીધા નથી તેમને રેલવે મુસાફરી માટે ઇનકાર કરવો યોગ્ય છે. જો કે તેના પર પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારનો નિર્ણય બંધારણની કલમ 19 (1) (d) હેઠળ મુક્ત હિલચાલના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. પરંતુ વર્તમાન કોરોના ચેપની પરિસ્થિતિમાં પૂરતો અનિવાર્ય અને વાજબી છે. વિશેષ સરકારી વકીલ અનિલ અંતુરકરે દલીલ કરી હતી કે વ્યાપક જાહેર હિતમાં અને સુરક્ષાના કારણોસર આવો પ્રતિબંધ જરૂરી છે.

આજે વડાપ્રધાન મોદીના હસ્તે સોમનાથ ખાતે અતિથિગૃહનો પ્રારંભ કરાવશે, ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહ બન્યું છે. જાણો વિગતે.

ગયા વર્ષે ઓગસ્ટમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, જે મુસાફરોએ રસીના બે ડોઝ લીધા હતા તેમને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેના વિરોધમાં હાઈકોર્ટમાં બે અલગ-અલગ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ. એસ. ગુરુવારે કર્ણિકની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. 

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version