Site icon News Continuous Bureau | Mumbai

વિકાસના નામે ષડયંત્ર. આ રાજ્યમાં 300 વર્ષ જૂના મંદિર પર ફરી વળ્યું બુલડોઝર, કોગ્રેસ સરકાર પર ભડક્યું ભાજપ 

News Continuous Bureau | Mumbai

 બુલડોઝર એક્શન (Buldozer Action)હાલના દિવસોમાં દેશમાં ચર્ચામાં છે. દિલ્હીની જહાંગીરપુરી(Delhi Jahangirpuri riots) હિંસામાં બુલડોઝર કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન રાજસ્થાન(Rajasthan)ના અલવર(Alwar)માં મ્યુનિસિપલ કાઉન્સિલ તરફથી બુલડોઝરની કાર્યવાહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢ(rajgadh)માં 300 વર્ષ જૂના શિવ મંદિર પર બુલડોઝર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર(Administration)ની કાર્યવાહીના કારણે મંદિરની મૂર્તિ(Temple Statue)ઓ ખંડેર થઈ ગઈ છે. આ દરમિયાન કવાયત સાથે તૂટી પડેલું 300 વર્ષ જૂનું શિવલિંગ(Shivling) પણ તૂટી ગયું હતું. લોકોનો આરોપ છે કે વિકાસના નામે ષડયંત્ર હેઠળ મંદિરો તોડવામાં આવ્યા છે.

 

સોશિયલ મીડિયા પર 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડવામાં આવતા હોય તેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, મંદિર તોડનારા અને મૂર્તિ પર કટર ચલાવનારા મજૂરો અને અધિકારીઓ મંદિરમાં પગરખા પહેરીને આવ્યા હતા જેને લઇને પણ હિન્દુવાદી સંગઠન અને ભાજપે(BJP) વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધમાં એસડીએમ, પાલિકાના ઇઓ અને રાજગઢના ધારાસભ્ય સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આ મામલામાં હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં વીજ કટોકટી ગંભીર. રાજ્યમાં સર્જાયેલી કોલસાની અછત. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કોલસાને લઈને કહી મોટી વાત.. જાણો વિગતે

 અંગે ભાજપે પણ કોંગ્રેસની ગેહલોત સરકાર(COngress Gehlot govt)પર પ્રહારો કર્યા છે. ભાજપની આઈટી સેલ(BJP IT cell)ના ચીફ અમીત માલવીય(AMit Malviy)એ આ મુદ્દે કોંગ્રેસ(Congress) સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કરૌલી અને જહાંગીરપુરીમાં મગરના આંસુ વહાવવા એ જ કોંગ્રેસનું સેક્યુલારિઝમ છે. 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version