Site icon News Continuous Bureau | Mumbai

બુલેટ ટ્રેન આડેનું વિધ્ન દૂરઃ આદિવાસી તાલુકાના જમીનના માલિકોને મળશે આટલા ટકા વધારાનું વળતર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનનુ કામ ચાલુ થયું ત્યારથી કોઈને કોઈ વિઘ્ન તેને આડે આવી રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે લગભગ 75 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે. જોકે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને કારણે બુલેટ ટ્રેનનું કામ ખોરવાઈ ગયું હતું. હવે જોકે થાણે અને પાલઘર જિલ્લામાં જમીનના સંપાદનને આડે રહેલી અડચણો દૂર ગઈ છે. જમીન માલિકો જમીન આપવા તૈયાર થઈ ગયા છે. તેની સામે હવે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) પાલઘરના આદિવાસી જિલ્લામાં જમીનના માલિકોને વધારાનું 25 ટકા બોનસ ચુકવવા માટે તૈયાર થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

પાલઘર જિલ્લામાં 180 હેકટર જમીન ખાનગી માલિકો પાસેથી લેવાની છે, તેમાંથી અત્યાર સુધી માત્ર 30 ટકા હેકટર જમીનનું સંપાદન સીધી ખરીદી દ્વારા કરવામાં સફળતા મળી છે. ખાસ કરીને આદિવાસી જિલ્લા ગણાતા તલાસરી, પાલઘર અને દહાણુમા જમીનને આપવાને મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. તેથી હવે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને ફરજિયાત રીતે જમીન સંપાદન કરવાનો નિર્ણય લીધો છે. જો જમીન જબરદસ્તીથી સંપાદન કરવી પડી તો ડીસ્ટ્રીક્ટ કમીટી એક્વાયઝેશન લેન્ડ દ્વારા નક્કી કરાયેલી રકમના 25 ટકા ઓછું વળતર મળશે.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર બોર્ડની 10મી પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ; અરજી કરવાની આ છે છેલ્લી તારીખ 

જો સીધી રીતે એટલે કે જમીનના માલિક વિરોધ વગર સીધુ જ જમીન સોંપી દેશે તો તેમને તેના બદલામાં હવે 25 ટકા વળતર મળશે એવુ કલેકટર ડો.માણિક ગુરસાલે મીડિયાને કહ્યું હતું

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના દાવા મુજબ જમીન સંપાદનમાં થયેલા વિલંબ ને પગલે હવે મુંબઈ-અમદાવાદ વચ્ચે પહેલી કોર્મશિયલ બુલેટ ટ્રેન 2026 સુધી દોડે એવી શક્યતા છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version