ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મહાત્મા બાપુ અંગે વાંધાજનક વાતો કરનારા કાલીચરણ મહારાજની અંતે ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાયપુર પોલીસ ખજૂરાહોમાંથી કાીલચરણની ધરપકડ કરી પરત લાવવાની કાર્યવાહી કરી રહી છે.
કાલીચરણ સામે રાયપુરમાં કલમ 505 (2) અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
રાયપુરના પૂર્વ મેયર અને હાલના સભાપતિ પ્રમોદ દુબેએ તેમના પર FIR કરી હતી. રસપ્રદ સંયોગ એ છે કે પ્રમોદ દુબે ધર્મસંસદના આયોજકોમાંના એક છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના રાયપુરમાં ધર્મસંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.
વિશ્વના આ દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો. સરકાર ચિંતામાં