Site icon

ઘરવાપસીઃ આ રાજ્યમાં 1200 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો, દિવંગત ભાજપા નેતાના દીકરાએ યોજ્યો કાર્યક્રમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર  

છત્તીસગઢના જશપુરમાં ભાજપના દિવંગત નેતા દિલીપ સિંહ જુદેવ બાદ પુત્ર પ્રબલ પ્રતાપ સિંહે ઘરવાપસી અભિયાન ની જવાબદારી લીધી છે. 

ધર્માંતરિત હિંદુઓની વાપસી માટે પ્રબલના નેતૃત્વમાં ગઈકાલે એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300 પરિવારના 1200 થી વધુ લોકોએ ઘરવાપસી કરી છે 

હિંદુ રીત-રિવાજ પ્રમાણે સૌના પગ ધોઈને તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી. 

જિલ્લાના પત્થલગાંવ સ્થિત ખૂંટાપાની ગામમાં ઓપરેશન ઘરવાપસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ઘરવાપસી કાર્યક્રમનું નેતૃત્વ કરનારા પ્રબલ પ્રતાપે મીડિયાને જણાવ્યું કે, આ તમામ લોકોને 3 પેઢી પહેલા ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. 2 દિવસીય કાર્યક્રમમાં હજાર કરતા પણ વધારે લોકો એકત્રિત થયા હતા. 

ઉલ્લેખનીય છે કે આર્ય સમાજ અને હિંદુ સમાજ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. .

પુલવામા આતંકી હુમલા માં એમેઝોન નું નામ સંડોવાયું. વેપારી સંગઠન કેટ એ કર્યો આ દાવો. શું એમેઝોન છે વિલન? જાણો વિગતે.
 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version