Site icon

પાંચ રાજયોની ચૂંટણીમાં હારવાને ડરે કૃષિ કાયદો પાછો ખેંચવાની મોદીએ કરી જાહેરાત, કોંગ્રેસનો દાવો જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પીએમ મોદીના આ નિર્ણયને કોગ્રેસે ખેડૂતોની અને પોતાની જીત ગણાવી હતી. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ લઈને કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ખેડૂતોનો ચાલી રહેલા સંઘર્ષ કામ આવ્યો છે. હવે ભાજપની હારમાં જ દેશની જીત છે.

રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ખેડૂતોએ આ ત્રણ કૃષિ કાયદા રદ કરવા સતત વિનંતી કરી રહ્યા હતા. પરંતુ મોદી સરકાર પાસેથી તેમને ફક્ત યાતનાઓ મળી હતી. તેમણે ખેડૂતો પર લાઠીચાર્જ કરાવ્યો હતો. ખેડૂતોના માથા ફોડવાનો આદેશ આપ્યો હતો. આંદોલન કરનારા ખેડૂતોને આતંકવાદી અને નક્સલવાદી કહેવામાં આવ્યા હતા.
તમારી નિયત પર કેવી રીતે ભરોસો કરીએ? કોંગ્રેસના આ નેતાએ વડાપ્રધાન મોદીને કર્યો આ સવાલ

આંદોલન દરમિયાન લગભગ 600થી 700 ખેડૂતો શહીદ થયા હોવાનું બોલતા સુરજેવાલા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં મંત્રીના દીકરાએ ખેડૂતોને કચડી નાખ્યા હતા. મોદીએ આજે પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે. હવે મોદી સરકારની સજા નક્કી કરવાનો સમય આવી ગયો છે. ભાજપને ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત આગામી વર્ષમાં પાંચ રાજયોમાં થનારી ચૂંટણીમાં હારવાનો ડર સતાવી રહ્યો છે. 

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version