કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા નવી મુશ્કેલીમાં, બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે ભ્રષ્ટાચારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો; જાણો શું છે સમગ્ર મામલો..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુકેલા બીએસ યેદિયુરપ્પા એક નવી મુશ્કેલીમાં ફસાયા છે. 

બેંગલુરુની વિશેષ અદાલતે જૂના કેસમાં યેદિયુરપ્પા સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. 

રાજ્યમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ફોજદારી કેસોની સુનાવણી માટે ખાસ રચાયેલી અદાલતે હવે યેદિયુરપ્પા સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટે કહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે.

આ મામલો બેંગલુરુમાં 434 એકર જમીનને ડિનોટિફાઈંગ કરવા સંબંધિત છે. 

આ જમીન 2006માં IT પાર્કના નામે અધિગ્રહણ કરવામાં આવી હતી, જ્યારે યેદિયુરપ્પા તત્કાલીન BJP-JDS સરકારમાં ડેપ્યુટી સીએમ હતા.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરનાર આ વકીલના ઇડીએ ઘરે પાડ્યા દરોડા, હવે લીધો કસ્ટડીમાં; જાણો શું છે સમગ્ર મામલો 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More