News Continuous Bureau | Mumbai
મુંબઈમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહી-હાંડીની ઉજવણી(Dahi-handi celebration) દરમિયાન લગભગ 78 ગોવિંદાઓ(Govindas) ઘાયલ થયા હતા.
આ તમામને સારવાર માટે મુંબઈની KEM, નાયર અને પોદાર હોસ્પિટલમાં(Nair and Podar Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
પાલિકાના(BMC) જણાવ્યા અનુસાર, આમાંથી 67 ગોવિંદાઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 11 ગોવિંદાઓની સારવાર હજુ ચાલી રહી છે.
જોકે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને(Corona) કારણે છેલ્લા બે વર્ષથી તહેવારની ઉજવણી થઈ શકી નથી. પરંતુ આ વર્ષે પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા. આ મામલે તપાસ એજન્સીએ નોંધી FIR
