Site icon

કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનાર અંકિત શર્માના પરિવારને કરી મોટી મદદ, તેમના ભાઈને આ વિભાગમાં આપી નોકરી..

 News Continuous Bureau | Mumbai

કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનારા IB કર્મચારી અંકિત શર્માના ભાઈને સરકારી નોકરી આપી છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવારને સરકારી નોકરીનું પ્રમાણપત્ર આપ્યું. 

અંકિત શર્માના ભાઈને દિલ્હીના શિક્ષણ વિભાગમાં સરકારી નોકરી આપવામાં આવી છે.

અગાઉ પરિવારને 1 કરોડની સહાય રકમ પણ આપવામાં આવી હતી. 

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે માનવીય તંગી ક્યારેય પૂરી ન થઈ શકે, પરંતુ આ સરકારી નોકરી અને 1 કરોડની સહાયથી પરિવારને શક્તિ મળશે, ભવિષ્યમાં પણ પરિવારને દરેક સંભવ મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020 માં, ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 

IB ઓફિસર અંકિત શર્માનો મૃતદેહ 26 ફેબ્રુઆરીએ લાપતા થયાના બીજા દિવસે ચાંદ બાગ વિસ્તારમાં તેમના ઘર પાસેના નાળામાંથી મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે કે કોંગ્રેસ સળંગ કેટલી વિધાનસભાની ચુટણી હારી ચુકી છે? આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે. કોંગ્રેસના નેતાએ આંકડો બહાર પાડ્યો.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version