News Continuous Bureau | Mumbai
યૂપીની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં એક ખૂંખારને ઠાર મારવામાં આવ્યો છે.
ઠાર મારવામાં આવેલા મૃતક પર પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.
હસનગંજ વિસ્તારમાં તેને મૂઠભેડ બાદ ગેંગસ્ટરને ઠાર કરવામાં આવ્યો હતો.
ગેંગસ્ટર પર અલીગજના જ્વેલર્સમાં લુંટ કાંડનો આરોપ હતો અને તે લૂંટ દરમિયાન એક કર્મચારીની હત્યા પણ કરી નાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ઇનિંગમાં પણ યોગીએ રાજ્યમાં માફિયાઓનો સપાટો બોલાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઈ-ચલાન ભરવામાં પણ અવળચંડાઈ. છેલ્લા ત્રણ વર્ષમાં વાહનચાલકોએ આટલા કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો નથી… જાણો વિગતે