ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
100 કરોડના ખંડણી કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી છે.
પીએમએલએ કોર્ટે ફરી એકવાર તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે.
અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ તેની કસ્ટડી લંબાવવામાં આવી હતી. ત્યારથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલમાં તેઓ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવેલા વસૂલાતના આરોપમાં કોર્ટે અનિલ દેશમુખને જામીન આપ્યા નથી.
