Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો

 News Continuous Bureau | Mumbai 

પંજાબ(Punjab)માં મોટી કાર્યવાહી કરતા ભગવંત માન સરકારે(AAP govt) કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સાધુ સિંહ ધરમસોત(Sadhu Singh Dharamsot)ની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Channel

પૂર્વ મંત્રીની પંજાબના અમલોહમાંથી વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તેમના પર પંજાબ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા વૃક્ષો કાપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. 

તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં વન અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

જોકે કેપ્ટન અમરિંદર સિંહે ખુરશી ગુમાવતા ધરમસોતને પણ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભગવંત માન(Punjab CM Bhagwat Mann)ની આગેવાની હેઠળની AAP સરકારે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં તેમના આરોગ્ય પ્રધાન ડૉ. વિજય સિંગલાને હટાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કેદારનાથમાં આવી બેદરકારી- ભીડની વચ્ચે બેકાબૂ હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ- શ્રદ્ધાળુઓમાં મચી અફરા-તફરી- જુઓ વિડીયો

Maharashtra Politics મુંબઈ મહાનગરપાલિકાની લડાઈ રોચક બની મેયરપદ કબજે કરવા શિંદે જૂથનું ‘ઓપરેશન ટાયગર’, ૪ મોટા નેતાઓ મેદાને
Weather Forecast મેઘરાજા નહીં વરસે… આઈએમડીના નવા રિપોર્ટ મુજબ ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની વકી…
Mumbai Pune Expressway Tanker Fire મુંબઈપુણે એક્સપ્રેસવે પર ખાલાપુર નજીક ક્રૂડ ઓઇલનું ટેન્કર પલટી જતાં ભીષણ આગ; વાહનવ્યવહાર ઠપ્પ..
Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Exit mobile version