Site icon

ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ધમકી. લાઉડસ્પીકર મામલે આપ્યું આ નિવેદન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

હનુમાન ચાલીસા વિવાદમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ઝુકાવી દીધું છે. જાહેર સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ અને લાઉડસ્પીકરના વિવાદ તેમણે મૌન તોડવાની સાથે જ વિરોધપક્ષને ખુલ્લી ધમકી આપી દીધી છે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે શિવસૈનિકોએ શીખવ્યું છે કે દાદાગીરી કેવી રીતે તોડી શકાય. 

Join Our WhatsApp Community

હનુમાન ચાલીસાના પાઠ કરવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને અપક્ષ સાંસદ નવનીત રાણા પર નિશાન સાધતા કહ્યું હતું કે બહુ જલદી મારે જાહેર સભાનું આયોજન કરવાના છે. હું આ નકલી હિંદુત્વવાદી કાર્યકરો સાથે વાત કરવા માંગુ છું. મારા કુર્તા થી તમારો કુર્તો વધુ કેસરિયો કેવો? ટૂંક સમયમાં જ તેઓ સાથે મિટિંગ કરીને હું તેમના ચહેરા પર લાગેલા મહોરો ઉતારવાનો છું.

આ સમાચાર પણ વાંચો :  રાજ્યમાં આટલા ટકા મસ્જિદો તેમ જ મંદિરો પર લાઉડ સ્પીકર છે. કેટલા છે ગેરકાયદે? મીડિયામાં આવ્યો અહેવાલ.જાણો વિગતે

છેલ્લા થોડા દિવસથી ભાજપ હિંદુત્વના મુદ્દે શિવસેનાની ટીકા કરી રહ્યો છે તે મુદ્દે ચીફ મિનિસ્ટરે કહ્યું હતું કે અમે હિંદુત્વની અવગણના કરી છે એવા અમારા પર આરોપ કરવામાં આવે છે. અમે ગદાધારી હિન્દુ છીએ. ભગવાન હનુમાનની ગદા જેવું અમારું હિંદુત્વ છે. જો તમારે હનુમાન ચાલીસોના પાઠ કરવો હોય તો ફોન કરીને ઘરે આવો. પણ જો તમે દાદાગીરીનો આશરો લેશો, તો તેને કેવી રીતે તોડવી તે અમે જાણીએ છીએ. અમારા કાર્યકર્તાઓએ ઘંટાધારી પાસેથી હિંદુત્વ શીખવાની જરૂર નથી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાની એક રીત છે. કેટલાક લોકો પાસે કામ નથી. તેથી તેઓ આ કામ લઈને બેઠા છે.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version