Site icon

ભંગાણ શિવસેનામાં પડ્યું  પણ ખરો ફટકો સુપ્રિયા સુળે ને પડ્યો- જાણો કઈ રીતે

Supriya Sule Alleges Mistakes In Pune Metro Construction Work Which Is Inaugurated By Narendra Modi

PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ મેટ્રો પ્રોજેક્ટના નિર્માણમાં ટેકનિકલ ખામીઓ, NCP સાંસદ સુપ્રિયા સુલે કરી બાંધકામોના ઓડિટની કરી માંગ..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Mahashtra)માં સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ(Supreme court)માં ચાલી રહેલી સુનાવણી ઓગસ્ટ પર મોકૂફ રહી છે. ઠાકરે સરકાર(Thacekray Govt) તૂટી પડતા તેનો મોટો ફટકો શિવસેના(Shivsena) પડ્યો છે. શિવસેના આખી તૂટી પડી છે પણ તેની સાથે બીજા કોઈને મોટો ફટકો પડ્યો હોય તો રાષ્ટ્રવાદી કોગ્રેસ(NCP)ના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવાર(Sharad Pawar)ના પુત્રી સુપ્રીયા સુળે(Supriya Sule) છે.

Join Our WhatsApp Community

હાલના રાજકીય સમીકરણ જોતા સુપ્રિયા સુળે(Supriya Sule)ની ચિંતા વધી ગઈ છે કારણકે બારામતી(Baramati) પવારના વર્ચસ્વ સામે જોખમ ઊભું થયું છે. સુપ્રીયા બારામતી(Supriya Sule)નું પ્રતિનિધિત્વ કરે છે. બારામતીની લોકસભાની બેઠકમાં કુલ છ વિધાનસભાની બેઠક છે. બારામતી સીટી, દૌંડ, ઈંદાપૂર, પુરંદર, ખડકવાસલા અને ભૌર વિધાનસભાનો સમાવેશ થાય છે.

2014માં સુપ્રીયા લોકસભાની ચૂંટણીમાં 50,000 મતથી જીતી ગયા હતા. તો 2019માં એક લાખ મતથી તેઓ જીત્યા હતા. 2019માં તેઓની લડત ભાજપBJP)ના કાંચન કુલ સાથે હતી. સુપ્રિયાને સૌથી વધુ મત બારામતી સીટી અને ત્યારબાદ ઈંદાપૂર, ભૌર અને પુરંદરમાંથી મળ્યા હતા. તો દૌંડ અને ખડકવાસમાં તેઓને ઓછા મત મળ્યા હતા. 2019 બાદ રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. 

આ સમાચાર પણ વાંચો : આરે મેટ્રો કારશેડના કામ પર રહેલા સ્ટેને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ કરી આ જાહેરાત-પર્યાવરણવાદીઓ નારાજ

ઈંદાપુરના કોંગ્રેસ નેતા હર્ષવર્ધન પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. 2019માં સુપ્રિયાના વિજયમાં હર્ષવર્ધન પાટીલનો મોટો ફાળો હતો. પણ હવે તે ભાજપમાં ગયા છે. તો પુરંદરમાં વિજય શિવતારે હવે શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે. એમ તો વિજય શિવતારે 2019માં સંજય જગતાપ સામે હારી ગયા હતા. છતાં પવાર પરિવારનું પ્રભુત્વ આ વિસ્તારમાં ઓછું થયું છે. વિજય શિવતારે દેવેન્દ્ર ફડણવીસની નજીક મનાય છે. તેથી આગામી સમયમાં ફડડણવીસે પોતે આ બેઠક પર ધ્યાન આપે એવી શક્યતા છે. દૌંડમા પણ 2014 અને 2019ની વિધાનસભાની ચૂંટણા રાહુલ કુલ જીત્યા હતા. તઓ હવે શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ભૌરમાં રાષ્ટ્રવાદીનું જોર થોડું ઓછું છે. અહીં કોંગ્રેસના સંગ્રામ થોપટે છે પણ તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ સામે નારાજ છે. વિધાસભાના અધ્યક્ષ પદપથી કોંગ્રેસના નાના પટોળેએ રાજીનામું આપ્યા બાદ સંગ્રામ થોપટેનું નામ આગળ હતું પણ રાષ્ટ્રવાદીના વિરોધને કારણે તે થઈ શક્યું નહોતું. 

હાલના રાજકીય સમીકરણ જોતા 2024ની લોકસભાની ચૂંટણી(Loksabha Election)માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ખાવા સમાન સાબિત થઈ શકે છે.

Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Exit mobile version