Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં આદમખોર વાઘનો આતંક : અત્યાર સુધી આટલા લોકોને ફાડી નાખ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે હાહાકાર મચાવ્યો છે. આ વાઘને કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. અત્યાર સુધી આ વાઘે ૧૫ લોકોને ફાડી ખાધા છે. વાઘના આતંકને કારણે સ્થાનિક પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે. વાઘ પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે રોજના ૪૦ કિલોમીટર પગપાળા ચાલીને વાઘને શોધી રહી છે. ભારે પ્રયાસ બાદ પણ વાઘ હાથમાં આવતો નથી. વાઘનું પગેરું મેળવવા માટે જંગલમાં ૧૫૦ કૅમેરા પણ બેસાડવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોની પણ મદદ લેવામાં આવી રહી છે.

‘નો વેકસીન નો એન્ટ્રી’, ગુજરાતના આ શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત; જાણો વિગતે

એક અંદાજ મુજબ ગઢચિરોલીના જંગલમાં ૩૨ વાઘ છે. એથી લોહી ચાખી ગયેલા વાઘને પકડવો મુશ્કેલ થઈ ગયું છે. વાઘને શોધવા ડ્રૉનની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે સતત વરસાદને કારણે મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક પ્રશાસને ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓને શક્ય હોય તો ૧૫ દિવસ બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version