Site icon News Continuous Bureau | Mumbai

વરસાદ અને પૂરથી બચવા મહારાષ્ટ્ર સરકાર કરશે આ કામ : સરકારના આ નિર્ણય સામે જોકે નિષ્ણાતોએ વ્યક્ત કરી શંકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિ અને મહાપૂરમાં સેંકડો લોકોએ જાન ગુમાવ્યા છે, તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ દુર્ઘટના બાદ જોકે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક ધોરણે એક બેઠક યોજી હતી, જેમાં રાજ્યના કિનારાપટ્ટી પર આવેલાં ગામોમાં લગભગ 171 કિલોમીટર લાંબી સેફ્ટી વૉલ બાંધવાને મુદ્દે ચર્ચા થઈ હતી. સરકારના આ નિર્ણય સામે જોકે પર્યાવરણના નિષ્ણાતોએ આંખ લાલ કરી છે. કિનારાપટ્ટી પર આવેલા ગામને પૂર અને વરસાદથી બચાવવા માટે દીવાલ બાંધવાના નિર્ણયને ભૂલભરેલો ગણાવ્યો હતો. અમુક નિષ્ણાતોએ આ નિર્ણય બિલ્ડર લૉબીને ફાયદો કરાવવા માટે લીધો હોવાનો આરોપ કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરના આ જિલ્લામાં વાદળ ફાટતા તબાહી: અત્યાર સુધીમાં 7 લોકોના મોત 30થી 40 લોકો ગુમ

પર્યાવરણવાદી અને રાજ્યના પ્લાનિંગ ઑથૉરિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ એચ. એમ. દેસરડાએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે નૈસર્ગિક સંરક્ષક દીવાલનો નાશ કરીને હવે પૈસા કમાવવા માટે નવો ધંધો ચાલુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ફક્ત બાંધકામ ઉદ્યોગના લોકોને ફાયદો કરવા માટે છે. વિકાસને નામે રાજ્યના કિનારા પર આવેલા મેન્ગ્રોવ્ઝ અને જંગલોનો ખાતમો બોલાવી દીધો છે. મુંબઈમાં બાંદરા-કુર્લા કૉમ્પલેક્સ ઊભું કરવા માટે પણ ખાડી પર ભરણી કરવામા આવી હતી. જેમાં મોટા પાયા પર મેન્ગ્રોવ્ઝનો નાશ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આજે બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે.

MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Mumbai MHADA Cess Buildings Redevelopment મુંબઈની સેસ ઇમારતો માટે મોટો નિર્ણય; મ્હાડા સક્ષમ પ્રધિકરણ જાહેર, ગેઝેટ નોટિફિકેશન બહાર પડાયું..
Dahanu Jewellery Showroom Robbery પાલઘરના દહાણુ માં ફિલ્મી ઢબે લૂંટ બંદૂકની અણીએ જ્વેલર્સમાંથી કરોડોના સોનાચાંદીના દાગીના અને રોકડની લૂંટ; જુઓ વિડિયો
Exit mobile version