Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આભ ફાટ્યું, સતત 7 કલાકથી વરસાદને પગલે રસ્તાઓ થયા જળમગ્ન; જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 7 કલાકના મુશળધાર વરસાદને પગલે સ્થિતિ બેકાબૂ બની છે. લોકોનાં મકાનો પાણીમાં ડૂબવા લાગ્યાં છે તેમ જ પરિસ્થિતિ એટલી બેકાબૂ બની રહી છે કે સ્ટેટ ડિઝાયર રિસ્પૉન્સ ફન્ડ (SDRF)ની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિની ​​જાણ થઈ નથી, પરંતુ પાણીનો સ્તર સતત વધી રહ્યો છે. તમામ મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાઈ રહ્યા છે. મોટા પથ્થરો પણ માટીની સાથે લોકોના ઘરમાં ઘૂસી ગયા છે.
 
મળતી માહિતી અનુસાર દેહરાદૂનના સાંતલાદેવી મંદિર પાસે ખૈબરવાલામાં બે વાર વાદળ ફાટ્યું છે, જેના કારણે પાણીની સાથે કાટમાળ પણ લોકોનાં ઘરોમાં ઘૂસી ગયો છે. ઘણા લોકોનાં ઘરોમાં મોટા પથ્થરો પણ ઘૂસ્યા હતા. વાદળ ફાટ્યાં બાદ મોટા પથ્થરોએ લોકોના ઘરની છતને પણ નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદથી નદીઓ તોફાને ચઢી છે. દેહરાદૂનના આઇટી પાર્ક જેવા પૉશ વિસ્તારમાં પણ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. પાણી એટલું સ્પીડમાં રસ્તા પર વહી રહ્યું છે કે ગાડીઓની અવરજવર બંધ થઈ ગઈ છે. અનેક ગાડીઓ રસ્તા પર ફસાઈ છે.

ગુજરાતના શિક્ષણમંત્રીની મોટી જાહેરાત : આવતા મહિનાની આ તારીખથી ધો 6 થી 8ના વર્ગો શરૂ કરાશે ; જાણો વિગતે

Join Our WhatsApp Channel

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version