Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! ગ્રાહકોને બદલે રાજયના આ વીજ એકમો બારોબાર વીજળી વેચી મારતા હોવાનો વીજ મંત્રાલયનો ચોંકાવનારો આરોપ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

ચીન બાદ ભારતમાં પણ બરોબરની તહેવારની મોસમમાં કોલસાની અછતને પગલે ગંભીર વીજ સંકટ નિર્માણ થયું છે. એવામાં અમુક રાજયના વીજ ઉત્પાદન એકમો ગ્રાહકોને વીજળી પૂરી પાડવાને બદલે ઊંચા ભાવે પાવર એક્સચેન્જને વીજળી વેચી મારતા હોવાનો ચોંકાવનારો આરોપ કેન્દ્રના વીજ મંત્રાલયે કર્યો છે.

તહેવારોમાં વીજળીનો વપરાશ વધી જતો હોય છે. તેવામાં દેશમાં કોલસાની અછતને પગલે ગંભીર વીજ કટોકટી ઊભી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશના વીજ એકમોને કોલસો પૂરી પાડનારી કોલ ઈન્ડિયાને તહેવારો દરમિયાન દૈનિક 1.55થી 1.66 મિલિયન ટનને બદલે 20 ઓક્ટોબર પછી દૈનિક 1.70 મિલિયન ટન કોલસો પૂરો પાડવાનો આદેશ આપ્યો છે.

મુંબઈગરાના પરસેવાની કમાણી કોન્ટ્રેક્ટરના ખિસ્સામાં સમાણીઃ જમ્બો કોરોના સેન્ટર માટે ખાનગી સંસ્થાને પાલિકા આપશે આટલા કરોડ રૂપિયા.જાણો વિગત.
 

વીજ કટોકટીના સંકટ વચ્ચે મંગળવારે વીજ મંત્રાલયે કહ્યું હતું કે તહેવાર હોવાથી વીજળીની ડિમાન્ડ વધુ છે. તેની સામે કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદન ઘટી જવાથી વીજળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. એવામાં ધ્યાનમાં આવ્યું છે કેટલાક રાજયોમાં વીજ એકમો વીજ કાપ મુકીને તેમના ગ્રાહકોને વીજળી પૂરી પાડતા નથી. ગ્રાહકોને બદલે ઊંચા ભાવે પાવર એક્સચેન્જને તેઓ વીજ વેચી રહ્યા છે.

વીજ મંત્રાલયે રાજયના વીજ એકમોને ચેતવણી પણ આપી હતી કે જો કોઈ રાજયએ ગ્રાહકોને વીજળી આપવાને બદલે સીધી પાવર એક્સચેન્જને ઊંચા ભાવે વીજળી વેચી હોવાનું જણાશે. તો આવા રાજયોને કેન્દ્રના ક્વોટામાંથી ફાળવવામાં આવતી વીજનો ક્વોટો પાછો ખેંચી લેવામાં આવશે અને અન્ય રાજયોને આપવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં 70 ટકા વીજ ઉત્પાદન કોલસા આધારિત છે. વીજ એકમોને 80 ટકા કોલસો સરકારી કંપની કોલ ઈન્ડિયા પૂરો પાડે છે.  

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version