Site icon

મોદી-શાહની અનેક વખત મુલાકાત લેનારા NCPના આ દિગ્ગજ નેતા શું ઘરવાપસી કરશે- જાણો શું છે તેમનો પ્લાન

News Continuous Bureau | Mumbai

પક્ષમાં નારાજ નેતાઓનું  સ્વગૃહમાં પાછા ફરવું સામાન્ય છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) દિગ્ગજ નેતા એકનાથ ખડસે(Eknath Khadse) ફરી એક વખત ભાજપમાં(BJP) જોડાઈ રહ્યા છે, એવી લાંબા સમયથી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેમાં પાછું તાજેતરમાં તેમણે પોતાની પુત્રવધુ રક્ષા ખડસે(Daughter-in-law Raksha Khadse) સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહની(Amit Shah) મુલાકાત લેવા દિલ્હી ગયા હતા. ત્યારથી ફરી એક વખત ખડસે ફરી ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી જોરદાર અફવા ઊડી છે. જોકે એકનાથ ખડસે આ તમામ વાતનું ખંડન કર્યું છે.

Join Our WhatsApp Community

મીડિયા સાથે વાત કરતા એકનાથ ખડસેએ કહ્યું હતું કે કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે. મોદી વડા પ્રધાન છે. તેઓ બંને સાથે મારો જૂનો પરિચય છે. હું તેમને બંનેને અનેક વખત મળ્યો છું અને ભવિષ્યમાં પણ મળતો રહીશ. દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળવાનો છું. પરંતુ તેનો અલગ મતલબ કાઢવો નહીં. હું રાષ્ટ્રવાદીમાં છું, અને મારી પુત્રવધુ ભાજપની સાંસદ(BJP MP) છે, એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- કોર્ટમાં જજે મહિલા વકીલની છેડતી કરી- CCTV વાયરલ-  હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કર્યા- જાણો વિગતે

તો એકનાથ ખડસેની વહુએ પણ બાદમાં આ બાબતે સ્પષ્ટતા આપતા  કહ્યું હતું કે તેઓ અને એકનાથ ખડસે દિલ્હી અમિત શાહને મળવા ગયા હતા. પરંતુ શાહ બહુ વ્યસ્ત હોવાથી તેમની સાથે મુલાકાત થઈ શકી નહોતી.
 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version