ભારતના આ દક્ષિણી રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાએ ચિંતા વધારી, એક જ દિવસમાં 31 હજારથી વધારે કેસ નોંધાયા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

દેશભરમાં ઓછા થઈ રહેલા કોરોના મામલાની વચ્ચે કેરળમાં નવા મામલા એક વાર ફરી બેકાબૂ થયા છે.

કેરળમાં દૈનિક મામલા 3 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, કેરળમાં 31,445 નવા કેસ નોંધાયા છે અને 215 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

આ સાથે કેરળમાં કોરોનાના સંક્રમિતોની કુલ સંખ્યા 38,83,429 થઈ ગઈ છે અને મૃત્યુઆંક  19,972 પર પહોંચી ગયો છે.

હાલ રાજ્યમાં 1,70,292 કોરોનાના એક્ટિવ કેસ છે. 

જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 20,271 લોકોને રજા આપવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More