દિલ્હીમાં વીકએન્ડ કરફ્યુ યથાવત રહેશે, કેજરીવાલ સરકારની આ ભલામણને ઉપરાજ્યપાલે ફગાવી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022          

શુક્રવાર.

પાટનગર દિલ્હીમાં વીક એન્ડ કરફ્યુ હટાવવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલh અનિલ બૈજલે ફગાવી દીધો છે.

ઉપરાજ્યપાલ નું કહેવું છે કે, હજી કેટલાક દિવસો સુધી રાજધાનીમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. જો એ પછી સ્થિતિ સામાન્ય થાય તો આગળ વિચારણા કરવામાં આવશે.

એટલે કે, રાજધાનીમાં શનિવાર અને રવિવાર વીક એન્ડ કરફ્યુ ચાલુ રહેશે અને તમામ ખાનગી ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે જ કાર્યરત રહેશે. 

સાથે જ બજારોમાં ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાનું પણ ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઉપરાજ્યપાલ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન છે અને તેમની મંજૂરી વગર દિલ્હીમાં વીક એન્ડ કરફ્યૂ નહીં  હટે.

બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે? વોર્ડની પુનઃરચના નો ડ્રાફ્ટ ચૂંટણી કમિશનને રજૂ કર્યો; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More