હિમાચલ પ્રદેશમાં કુદરતી આફત : કિન્નોર બાદ હવે લાહૌલમાં પર્વત તૂટ્યો, ચંદ્રભાગા નદીનો પ્રવાહ બંધ, જુઓ વીડિયો 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

શુક્રવાર 

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ગુરુવારે કિન્નૌરમાં નૅશનલ હાઇવે -5 પર નિગુલસેરી નજીક ભૂસ્ખલન થયું હતું, એ રાહત અને બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. દરમિયાન લાહૌલમાં પર્વત તૂટવાના સમાચારે હલચલ મચાવી દીધી છે. લાહૌલમાં, પર્વત તૂટવાને કારણે, ડ્રેઇનનું પાણી બંધ થઈ ગયું છે, જેના કારણે આસપાસનાં ગામને ખતરો છે. લાહૌલના જસરથ, તાડાંગ, હલીંગ ગામો વધારે જોખમમાં છે. એવું માનવામાં આવે છે કે જો આ પ્રવાહ અચાનક તૂટી જાય, તો લગભગ એક ડઝન ગામ સહિત ઘણા પુલ વહી શકે છે.

આ ખતરાને ધ્યાનમાં રાખતાં નજીકનાં ગામો ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળે જવાની હિમાયત કરાઈ છે. લાહૌલના જુંડા નાળાની સામે નાલડા પહાડના ધસવાથી ચંદ્રભાગા નદીનું વહેણ રોકાઈ ગયું છે. સાથે ગામની જમીન, ગામ પરનું જોખમ વધી ગયું છે. સમગ્ર નદી ડેમનું રૂપ લઈ ચૂકી છે. ઘટનાસ્થળે ભયંકર સ્થિતિ સર્જાઈ છે.

મુંબઈ ઍરપૉર્ટ ભગવાન ભરોસે : ઍરપૉર્ટના રનવે પર બની આ દુર્ઘટના, ઍરપૉર્ટ અને પોલીસ પ્રશાસન થયું દોડતું; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નૅશનલ હાઈવે-5 પર નિગુલસરી નજીક ભેખડો ધસવાથી ભયાવહ ભૂસ્ખલનના બીજા દિવસે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી વધુ ચાર લોકોના મૃતદેહ કાઢ્યા છે. મૃતકોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. ઘટનાના લગભગ 20 કલાક બાદ હિમાચલ પથ પરિવહન નિગમ બસના કેટલાક ટુકડા અને ટાયરોને પણ શોધી કઢાયાં છે. જોકે બસમાં સવાર મુસાફરોમાંથી 16 લોકો હજુ પણ લાપતા છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More