News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shivsena) બળવાખોર એકનાથ શિંદે(Rebel Eknath Shinde) મુખ્યપ્રધાન(CM) બની ગયા બાદ આગામી દિવસોમાં ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) મુશ્કેલીમાં હજી વધારો થવાની શક્યતા છે. સોમવારે શિંદેએ વિધાનસભાના અધ્યક્ષ(Speaker of the Legislature) રાહુલ નાર્વેકરે(Rahul Narvekar) ઉદ્ધવ કેમ્પના શિવસેના 15 ધારાસભ્યોને વ્હીલનું પાલન નહીં કરવા બદલ ડીસક્વોલીફાય(Disqualify) કરવાની વિનંતી કરી હતી
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે તેમને શિંદે તરફથી 15 ધારાસભ્યોને વ્હીલનું(Wheel) પાલન નહીં કરવા બદલ ડીસક્વોલીફાય કરવાની અરજી આવી હોવાનો સ્વીકાર કર્યો હતો. શિવસેનાના 15 ધારાસભ્યોમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વરલીના ધારાસભ્ય(Worli MLA) આદિત્ય ઠાકરેનો(Aditya Thackeray) પણ સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : આરજેડી સુપ્રીમો લાલુ યાદવ ની તબિયત લથડી-પટનાની પારસ હોસ્પિટલમાં કરાયા દાખલ-જાણો શું થયું છે તેમને
શિવસેનાએ તેની સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આ પૂરું પ્રકરણ પ્રલંબિત છે. શિવસેનાના મિડિયા પ્રવક્તા તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિંદે ગ્રુપ દ્વારા વ્હીપ તરીકે ભારત ગોગાવલેની(Bharat Gogavale) નિમણૂક ગેરકાયદે છે, જે નિયમનું ઉલ્લંઘન કરે છે. બંધારણ ના નિયમ મુજબ ફક્ત પાર્ટીના અધ્યક્ષને જ પક્ષનો ગ્રુપ લીડર અને વ્હીપ બનાવવાની સત્તા છે.