Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી પૂર્ણ, મુખ્યમંત્રી કાર્યાલયે આપી આ જાણકારી; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની HN રિલાયન્સ હોસ્પિટલમાં કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ શુક્રવારે આ માહિતી આપી છે. હોસ્પિટલના ડોક્ટરો અજીત દેસાઈ અને શેખર ભોજરાજને ટાંકીને CMOએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે ને સર્જરી બાદ વોર્ડમાં લાવવામાં આવ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ડોક્ટરોનું કહેવું છે કે સર્જરી દરમિયાન તેમની સ્થિતિ સ્થિર હતી અને હવે તેઓ હાલ ઠીક છે. આપને જણાવી દઈએ કે દેસાઈ કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે ડૉ. ભોજરાજ સ્પાઈનલ સર્જન છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બુધવારે ગરદનમાં દુખાવો વધતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયે તેઓ એક ઈવેન્ટમાં ‘સર્વાઈકલ કોલર’ પહેરીને પણ જોવા મળ્યા હતા.

સ્ટંટબાજી પર અંકુશ લાવવા ટ્રાફિક પોલીસનો નવો કીમિયા, હવે આ રીતે રાખશે બાઈકસવાર પર નજર ; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગરદન અને કરોડરજ્જુની સમસ્યાને કારણે ઘણા કાર્યક્રમો રદ કર્યા હતા. તેઓ લોકો સાથેની મુલાકાતો પણ ઘટાડી રહ્યા હતા. દિવાળીના દિવસે તેમના વર્ષા બંગલાની મુલાકાત લેનારાઓને પણ તેઓ ઓછા જ મળ્યા હતા. સીએમને જ્યારે દુખાવો વધી ગયો તો ત્યાર બાદ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version