Site icon

મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં હજી પણ કોરોનાનું ગંભીર સંકટ યથાવત્; કેન્દ્રીય ટીમે આપ્યું સંપૂર્ણ લૉકડાઉનનું સૂચન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોલ્હાપુર અને સાંગલીની મુલાકાત લેતાં નિષ્ણાતોની એક સેન્ટ્રલ ટીમે મહારાષ્ટ્રની ચિંતા વધારી છે. કોલ્હાપુર અને સાંગલી હજી પણ કોરોનાનો પૉઝિટિવિટી રેટ વધારે છે. આ કેન્દ્રીય ટીમે સંપૂર્ણ લૉકડાઉન કરવા સૂચવ્યું છે. કેન્દ્રીય ટીમે ચિંતા વ્યક્ત કરી હતી કે નિયમિતપણે શ્રેણીબદ્ધ પગલાં લેવાય છે છતાં બંને જિલ્લામાં ટ્રાન્સમિશન કેમ અટકતું નથી. જોકેરાજ્યના આરોગ્ય અધિકારીઓએ મીડિયાને કહ્યું હતું કે તેઓને હજી સુધી સેન્ટ્રલ ટીમના સભ્યો તરફથી રિપૉર્ટ મળ્યો નથી.

આ સંદર્ભે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મીડિયાને કહ્યું હતું કે રાજ્યના બાકીના જિલ્લાઓની તુલનાએ એવા માત્ર 10 જિલ્લાઓ છે, જ્યાં પૉઝિટિવિટી રેટ વધારે છે અને કેન્દ્રીય ટીમે અહીંના કેટલાક જિલ્લાઓની મુલાકાત લીધી છે.કેન્દ્રીય ટીમે ટેસ્ટિંગ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ અને રસીકરણ વધારવા પર ભાર મૂક્યો હતો. ટોપેએ ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે અને વધુ રસીના ડોઝ સપ્લાય કરવા કેન્દ્રને ફરી વિનંતી કરશે.

વાહ! મલાડની આ ખાનગી શાળાએ એક વર્ષની સંપૂર્ણ ફી જતી કરી; સ્કૂલની લૅબોરેટરી ભાડે આપી, વાલીઓને રાહત આપી, જાણો વિગત

નૅશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર ડૉ. સુજિતસિંહે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ જિલ્લાઓમાં કોરોનાનું કોઈ નવું ચિંતાજનક રૂપ સામે આવ્યું છે કે કેમ? જેને કારણે કેસ ઘટતા નથી.ઉલ્લેખનીય છે કે તમામ પ્રયાસ છતાં અહીં કોરોનાના કેસ કાબૂમાં ન આવતાં કેન્દ્રીય ટીમે આ સૂચન કર્યું છે, જેથી આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version