Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારે લીધો મોટો નિર્ણયઃ પ્રધાનોના બંગલાને મળશે હવે આ નામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર. 

મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડના નામ મરાઠી કરવાના નિર્ણય બાદ હવે ઠાકરે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મહાવિકાસગાડી સરકારે રાજ્યમાં મંત્રીઓના બંગલાના નામ બદલવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્રના કિલ્લાઓની ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા અને લોકોને તેના વિશે માહિતગાર કરવા માટે મંત્રીઓના બંગલાને કિલ્લા તરીકે નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે. તે મુજબ મંત્રીઓના સરકારી બંગલાઓનું નામ બદલવામાં આવ્યું છે. તે મુજબ આદિત્ય ઠાકરેના સરકારી બંગલાનું નામ ‘રાયગઢ’ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર આવ્હાડનો બંગલો ‘શિવગઢ’ તરીકે ઓળખાશે અને અમિત દેશમુખનો બંગલો હવે ‘જંજીરા’ તરીકે ઓળખાશે. વિજય વડેટ્ટીવારનો બંગલો ‘સિંહગઢ’, વર્ષા ગાયકવાડનો બંગલો ‘પાવાગઢ’, હસન મુશ્રીફનો ‘વિજયદુર્ગ’, ઉદય સામંતનો ‘રત્નસિંધુ’ વગેરે નામ કરણ કરવામાં આવવાના છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના આતંક વચ્ચે તંત્રની ઊંઘ હરામ, રાજ્યમાં અત્યાર સુધી આટલા હજાર પોલીસકર્મીઓ થયા સંક્રમિત; જાણો વિગતે 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version