ઠાકરે સરકારે લીધો મોટો નિર્ણયઃ પ્રધાનોના બંગલાને મળશે હવે આ નામ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

શુક્રવાર. 

મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડના નામ મરાઠી કરવાના નિર્ણય બાદ હવે ઠાકરે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મહાવિકાસગાડી સરકારે રાજ્યમાં મંત્રીઓના બંગલાના નામ બદલવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્રના કિલ્લાઓની ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા અને લોકોને તેના વિશે માહિતગાર કરવા માટે મંત્રીઓના બંગલાને કિલ્લા તરીકે નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે. તે મુજબ મંત્રીઓના સરકારી બંગલાઓનું નામ બદલવામાં આવ્યું છે. તે મુજબ આદિત્ય ઠાકરેના સરકારી બંગલાનું નામ ‘રાયગઢ’ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર આવ્હાડનો બંગલો ‘શિવગઢ’ તરીકે ઓળખાશે અને અમિત દેશમુખનો બંગલો હવે ‘જંજીરા’ તરીકે ઓળખાશે. વિજય વડેટ્ટીવારનો બંગલો ‘સિંહગઢ’, વર્ષા ગાયકવાડનો બંગલો ‘પાવાગઢ’, હસન મુશ્રીફનો ‘વિજયદુર્ગ’, ઉદય સામંતનો ‘રત્નસિંધુ’ વગેરે નામ કરણ કરવામાં આવવાના છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના આતંક વચ્ચે તંત્રની ઊંઘ હરામ, રાજ્યમાં અત્યાર સુધી આટલા હજાર પોલીસકર્મીઓ થયા સંક્રમિત; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More