Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ? 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રમાં વેક્સિન રાજકારણ શરૂ થયું છે. લોકોના સ્વાસ્થ્ય ના સોદા પર રાજનીતિ થઇ રહી છે. ચોંકાવનારી વિગતો જેમ સામે આવતી જાય છે તેમ-તેમ ખંધા રાજકારણીઓની ખોરી દાનત છતી થઇ રહી છે. આ મુદ્દો નીચે મુજબ ચાલ્યો…

૧. મહારાષ્ટ્ર સરકારે અનેક વેક્સિન સેન્ટર બંધ કરી નાખ્યા અને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર અમારી સાથે ભેદભાવ કરે છે અને અમને ઓછી વેક્સિન આપે છે.

૨. પોતાના સમર્થનમાં અઠવાડિક વેક્સિન ના આંકડા આપીને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે પાડોશી રાજયોને વધુ ડોઝ મળ્યા ત્યારે મહારાષ્ટ્રને ઓછા

૩. હવે હિસાબ નીકળ્યો ત્યારે ખબર પડી કે મહારાષ્ટ્રને અત્યાર સુધી ૧ કરોડ 6 લાખ વેક્સિન ના ડોઝ મળ્યા છે. જેમાંથી ૯૧ લાખ વેક્સિન વપરાઈ છે.

મહારાષ્ટ્રમાં વેક્સિન ની અછતને કારણે આટલી જગ્યાએ વેક્સિનેશન બંધ થયું. જાણો ચોંકાવનારી વિગત.
 

હવે સવાલ એ ઉભો થાય છે કે બચેલી 15 લાખ વેક્સિન ક્યાં છે? 

આ વેક્સિન રાજ્ય સરકારે ગામડાઓ સુધી કેમ ન પહોંચાડી?

5 લાખ વેક્સિન રાજ્ય સરકારના મિસ મેનેજમેન્ટને કારણે બગડી ગઈ તેવો કેન્દ્ર સરકારનો આરોપ છે.

આમ એક તરફ જ્યાં મહારાષ્ટ્રની મોજુદા સરકાર વિવાદોમાં સપડાઈ ગઈ છે ત્યારે બીજી તરફ સરકાર વેક્સિન પર રાજકારણ રમી ને પોતાની નાકામિયાબી છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે.

શું કેન્દ્રની ભાજપ સરકાર મહારાષ્ટ્ર સાથે ખરેખર અન્યાય કરી રહી છે? આ અઠવાડિયે 17 લાખ ૫૦ હજાર ડોઝ આપ્યા. અને બીજાં રાજ્યોને આટલા બધા… જાણો આંકડા..
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version