ઠાકરે સરકારની ચિંતા વધી, હવે મહારાષ્ટ્રના આ મંત્રી અને સાંસદ ને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

મંગળવાર.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. 

આ શ્રેણી સતત વધી રહી છે અને હવે આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જોડાઈ ગયું છે.

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને પણ કોરોના થયો છે. 

એકનાથ શિંદેએ છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે  આ અગાઉ એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત થયા છે. 

દિલ્હી માં લોકડાઉન લાગ્યું. આ દિવસો દરમિયાન દિલ્હી બંધ….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More