Site icon

ઠાકરે સરકારની ચિંતા વધી, હવે મહારાષ્ટ્રના આ મંત્રી અને સાંસદ ને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. 

આ શ્રેણી સતત વધી રહી છે અને હવે આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જોડાઈ ગયું છે.

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને પણ કોરોના થયો છે. 

એકનાથ શિંદેએ છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે  આ અગાઉ એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત થયા છે. 

દિલ્હી માં લોકડાઉન લાગ્યું. આ દિવસો દરમિયાન દિલ્હી બંધ….

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version