Site icon News Continuous Bureau | Mumbai

કોરોનામાં માતા-પિતા ગુમાવી દેનારા વિદ્યાર્થીઓ માટે વસઈની આ કૉલેજે લીધું આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોના મહામારીમાં અનેક પરિવાર ઉધ્વસ્ત થઈ ગયા છે. સેંકડો બાળકો અનાથ પણ થયાં છે. આવાં બાળકોની સ્કૂલ તથા કૉલેજની ફી માફ કરવાની અને શિક્ષણ મફત આપવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે. સરકારની જાહેરાતને પાલઘર જિલ્લામાં આવેલા વસઈની સેન્ટ ગોન્સાલો ગાર્સિયા કૉલેજ ઑફ આર્ટ્સે તરત અમલમાં મૂકી દીધી છે. કૉલેજ પ્રશાસને પોતાના વિદ્યાર્થીઓ માટે એક નોટિસ બહાર પાડી છે. એમાં લખવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓએ કોરોનામાં તેમનાં માતાને કે પિતાને અથવા માતા-પિતા બંનેને ગુમાવી દીધાં છે એવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 100 ટકા ફી માફ કરવામાં આવશે. એ માટે વિદ્યાર્થીઓને આવશ્યક દસ્તાવેજો લઈ આવવાનું કહેવામાં આવ્યું છે. એથી દસ્તાવેજોની ચકાસણી બાદ તરત ફી માફી તેને લાગુ પડશે.

શૉકિંગ! મંત્રાલય બાદ હવે મહારાષ્ટ્રની આ પાલિકાની ઑફિસમાંથી મળી આવી દારૂની બાટલીઓ; જાણો વિગત

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version