મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 56,647 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 669 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 47,22,401 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 51,356 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84.31% થયો છે.
હાલ રાજ્યમાં 6,68,353 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,76,52,758 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
