ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્રમાં સતત કોરોનાના નવા કેસ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 956 કેસ નોંધાયા છે અને 18 દર્દીઓના મોત નીપજ્યા છે.
સાથે જ કોરોનાના 966 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે
હવે રાજ્યમાં દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 97.64 ટકા થયું છે.
હાલ રાજ્યમાં કોરોનાના 12,191 એક્ટિવ દર્દી છે, જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
JNUમાં ફરી ભડકી હિંસા, વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી; અનેક ગંભીર રીતે ઘાયલ