Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને લઇને આ રાજ્યમાં કડક નિયમો લાગુ, વેક્સીનના બે ડોઝ લેનારને પણ એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ બતાવ્યા બાદ જ પ્રવેશ મળશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે નવા નિયમની જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે જે કોઈ અન્ય દેશમાંથી મુંબઈ આવે છે, તેણે કોરોનાનો RT PCR રિપોર્ટ પોતાની પાસે રાખવો ફરજિયાત રહેશે. નહિંતર, રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 

સાથે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે રસીના બંને ડોઝ મેળવ્યા પછી પણ RT PCR રિપોર્ટ બતાવવો પડશે. 

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા નિયમો મધ્ય પૂર્વ, યુરોપ અને દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરોને પણ લાગુ પડશે.  

આવી સ્થિતિમાં, હવે જૂના નિયમોને પણ વધુ કડક બનાવવામાં આવ્યા છે અને દરેકને તેનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

હવે આ કડક નિયમોને ચુસ્તતાથી અમલી કરાશે કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ, મુખ્તાર અંસારીના મોટાભાઈ સિબગતુલ્લાહ આ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version