Site icon

નારાયણ રાણેની ‘જન આશીર્વાદ યાત્રા’ માં કોરોના નિયમોનો ભંગ, મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ભાજપના કાર્યકરો સામે આટલી FIR નોંધી ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા કાઢવામાં આવેલી જન આશીર્વાદ યાત્રા પર મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરી છે.

મુંબઈ પોલીસે ભાજપના કાર્યકરો અને યાત્રાના આયોજકો સામે વધુ 19 FIR નોંધી છે.

FIRમાં પોલીસે ભાજપના કાર્યકરો અને યાત્રાના આયોજકો પર કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં કુલ 36 FIR નોંધી છે

પોલીસનું કહેવું છે કે હવે મુંબઈમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રીતે નિયમોની અવગણના અહીં ફરી પરિસ્થિતિ બગાડી શકે છે. 

મહારાષ્ટ્ર સરકારના 'બ્રેક ધ ચેઇન' અભિયાન હેઠળ, લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પરંતુ ગઈકાલની જન આશીર્વાદ યાત્રામાં આ નિયમોનું પાલન થયું ન હતું .

ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેએ ગુરુવારે મુંબઈ એરપોર્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાણેએ એરપોર્ટ નજીક આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને યાત્રા શરૂ કરી હતી.

કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ મહારાષ્ટ્રના આ સાંસદ થયા કોરોનાગ્રસ્ત.. જાણો વિગતે 

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version