Site icon

MLC Polls 2021: મહારાષ્ટ્ર વિધાન પરિષદની આ ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર.

મહારાષ્ટ્રની છ બેઠકો માટે વિધાન પરિષદની ચૂંટણી બિનહરીફ યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્ય વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણીમાં સ્થાનિક સત્તાવાળા મતવિસ્તારોમાંથી ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

કોલ્હાપુર અને ધુલે-નંદુરબાર સ્થાનિક સંસ્થાઓની બેઠકો અને મુંબઈની બે બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

એટલે કે હવે 10 ડિસેમ્બરે માત્ર બે બેઠકો માટે ચૂંટણી યોજાશે.

મુંબઈથી, શિવસેનાના સુનિલ શિંદે અને ભાજપના રાજહંસ સિંહ બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે કોલ્હાપુરથી કોંગ્રેસના ઉમેદવાર અને ગૃહ રાજ્ય મંત્રી સતેજ પાટીલ બિનહરીફ ચૂંટાયા છે.

ધુલે-નંદુરબારથી કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ વાનીએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના અમરીશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વ-સરકારી સંસ્થાઓ માટે આરક્ષિત છ MLC બેઠકો સભ્યો નિવૃત્ત થતાં ખાલી પડી હતી. આમાંથી બે BMC માટે છે.

સુરતમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે લોકોને પાલિકા દ્વારા ૧ લીટર તેલનું વિતરણ કરવામાં આવશે

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version