Site icon

રાષ્ટ્રવાદી કોંંગ્રેસના વધુ એક નેતાને ED નો ફટકોઃ આટલા કરોડની માલમત્તા જપ્ત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

સોમવાર,

 સરકારના વિવિધ મંત્રીઓ પાછળ ડિરેક્ટોરેટ ઓફ રિકવરી (ED) હાથ ધોઈને પડી ગઈ છે. એનસીપીના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી નવાબ મલિકની થોડા દિવસો પહેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ED ને હાથે  અન્ય મંત્રી ચઢી ગયા છે.અહેમદનગરના એનસીપીના નેતા અને ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરેની નાગપુરમાં રામ ગણેશ ગડકરી સુગર ફેક્ટરીની 13.41 કરોડ રૂપિયાની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. અપરાધ શાખાએ ઓગસ્ટ 2019માં કેસ દાખલ કર્યા પછી, EDએ પ્રાજક્તા તાનપુરેની સુગર ફેક્ટરીની તપાસ શરૂ કરી હતી. તનપુરેનો જવાબ ગયા વર્ષે ડિસેમ્બરમાં નોંધવામાં આવ્યો હતો. આ તપાસ ચાલી રહી છે ત્યારે હવે EDએ તનપુરે સામે PMLA મુજબ કાર્યવાહી કરી છે અને મિલકત જપ્ત કરી છે.

EDએ ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરેની નાગપુરમાં આવેલી રામ ગણેશ ગડકરી સુગર ફેક્ટરીની 90 એકર જમીન જપ્ત કરી છે. અન્ય 4.6 એકર જમીન પણ જપ્ત કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે રાજ્ય સહકારી બેંક દ્વારા ખાંડની ફેક્ટરી નજીવા દરે તાનપુરે સાથે જોડાયેલી કંપનીને વેચવામાં આવી હતી.

રાજકીય નેતાઓ સામે એક્શન, દિલ્હી હાઈકોર્ટે આ મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને મોકલી નોટિસ; પૂછ્યો આ સવાલ

કેન્દ્રની વિવિધ તપાસ એજન્સીઓએ રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સામે કાર્યવાહી કરી છે. એનસીપી પાસે સૌથી વધુ મંત્રીઓ છે. એનસીપી નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મહિનાઓથી કસ્ટડીમાં છે. નવાબ મલિકની પણ થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી છે અને તે EDની કસ્ટડીમાં છે. જે બાદ હવે કાર્યવાહી હાથ ધરનાર પ્રાજક્તા તનપુરે રાજ્ય મંત્રી પદની જવાબદારી સંભાળે છે અને તેઓ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના નજીકના સંબંધી પણ છે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version