Site icon

NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ.. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCB) અધ્યક્ષ બ્રાહ્મણ વિરોધી છે, તેઓ નાસ્તિક છે એવી જાત-જાતની તેમના વિશે ચર્ચા થતી હોય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ(MNS) પણ તેઓ મંદિરમાં જતા નથી કરીને તેમની ટીકા હતી. તાજેતરમાં શરદ પવાર(Sharad Pawar) પુણેમાં પ્રખ્યાત દગડુશેઠ ગણપતિ મંદિરના(Dagdusheth Ganapati Temple) પરિસરમાં ગયા હતા. પરંતુ મંદિરમાં અંદર નહીં જતા બહારથી જ  દર્શન કરીને નીકળી ગયા હતા. તેથી ફરી તેમની ટીકા કરવામાં આવી હતી.

શુક્રવારે શરદ પવાર પુણેના દગડુ શેઠ મંદિરના પરિસરમાં ગયા હતા. મંદિરના ટ્રસ્ટીઓએ(trustees of the temple) પણ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું, પરંતુ તેઓ મંદિરમાં અંદર જવાને બદલે બહારથી દર્શન કરીને નીકળી ગયા હતા. તેથી ફરી ટીકા થવા માંડી હતી.

આ સમાચાર પણ વાંચો :  આગ્રાના તાજમહેલ ખાતે મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરાઈ.. પોલીસે 4 પર્યટકોની કરી ધરપકડ, જાણો શું છે કારણ..

છેવટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પુણેના અધ્યક્ષ પ્રશાંત જગતાપે(Prashant Jagtap) સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, શરદ પવારે માંસાહાર કર્યો હોવાથી તેઓ  મંદિરની અંદર દર્શન કરવા ગયા નહોતો અને બહાર દરવાજા પરથી દર્શન કરીને પાછા ફર્યા હતા. રાષ્ટ્રવાદની સ્પષ્ટતા બાદ પણ જોકે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version