Site icon

નાશિક પોલીસ કમિશનરનું બયાન : નારાયણ રાણેની ધરપકડ માટે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનની મંજૂરીની જરૂર નથી, આ છે જોગવાઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ નારાયણ રાણે સામે નાશિકમાં ગુનો નોંધાયો છે. હવે તેમની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. એથી ભડકી ગયેલા નારાયણ રાણેએ એવો સવાલ કર્યો છે કે ધરપકડ કરવા હું શું સામાન્ય માણસ છું?  ધરપકડનો આદેશ કાઢનારા શું રાષ્ટ્રપતિ છે? 

નારાયણ રાણે દેશના માનદ પ્રધાન છે એથી તેમની ધરપકડ કાયદેસર પેચ થઈ શકે છે. એથી પ્રશ્ન એવો નિર્માણ થયો છે કે લોકલ પોલીસ તેમની ધરપકડ કરી શકે  કે નહીં? આ સામે નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું છે કે નારાયણ રાણે રાજ્યભાના સાંસદ છે,એથી તેમની ધરપકડ બાદ રાજ્યસભાના  અઘ્યક્ષ રહેલા ઉપરાષ્ટ્રપતિને એ બાબતે માહિતી આપવામાં આવશે. એ સાથે જ ઇન્ટેલિજન્સ બ્યુરો, SIT, જિલ્લાદંડાધિકારી, ન્યાય દંડાધિકારી તમામ લોકોને નિયમ મુજબ માહિતી આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો

બંધારણ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને સામે ક્રિમિનલ કેસમાં ધરપકડની કાર્યવાહી કરી શકાતી નથી. બાકીના લોકો માટે બંધારણમાં આ જોગવાઈ નથી. કાયદાકીય નિયમ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. તેમની ધરપકડની આવશ્યકતા કેમ નિર્માણ થઈ એની સંપૂર્ણ માહિતી આદેશમાં જણાવવામાં આવી છે.
 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version