Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી. હવે આ સમયગાળા દરમિયાન બધું જ બંધ. જાણો નવા નિયમો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

 શનિવાર. 

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન મુજબ રાજ્યમાં આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

૧. સવારે 5:00 થી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન પાંચ થી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર મનાઇ.

૨. રાત્રે ૧૧ થી 05:00 સુધી માત્ર અતિ આવશ્યક સુવિધાઓ જ ચાલુ રહી શકશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ બહાર નહીં નીકળી શકે. તેમજ માત્ર ઇમર્જન્સી સુવિધાઓ જ કાર્યરત રહી શકશે.

૩. સ્વિમિંગ પૂલ, સ્પા, બ્યુટી સલૂન તેમજ જિમ્નેશિયમ સંપૂર્ણ રીતે બંધ.

૪. સિનેમા અને શોપિંગ કોમ્પલેક્ષ તેમજ રેસ્ટોરન્ટ માત્ર 50 ટકા ક્ષમતા સાથે ચાલી શકશે તેમજ રાત્રે 10:00 થી સવારે 8:00 સુધી બંધ રહેશે.

૫. સાર્વજનિક વાહન વ્યવહાર માત્ર બે વેકસીન લીધેલાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.

૬. તમામ શાળા અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ.

૭. લગ્નમાં માત્ર 50 માણસ ની હાજરી

૮. અંતિમ સંસ્કારમાં માત્ર ૨૦ માણસ ની હાજરી.

૯. સાર્વજનિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકોની હાજરી.

૧૦. પ્રાઇવેટ ઓફિસમાં માત્ર 50 ટકા હાજરી ની ભલામણ કરવામાં આવી છે તેમજ કર્મચારીઓ પૂરી રીતે વેક્સિન લીધેલા છે કે નહીં તેની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે.

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version