મહારાષ્ટ્રના આ જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં લીધી હોય તેમને પેટ્રોલ અને રાશન પણ નહીં; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 નવેમ્બર  2021 

શુક્રવાર.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં, કોરોના વાયરસની રસી ન લેનારાઓ માટે જિલ્લા વહીવટીતંત્રે ખૂબ જ કડક આદેશ આપ્યો છે. 

જિલ્લા વહીવટીતંત્રે તમામ રેશનની દુકાનો, ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપોને માત્ર એવા નાગરિકોને જ સામાન અને ઇંધણ સપ્લાય કરવા જણાવ્યું હતું જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. 

આ ઉપરાંત જે લોકોએ રસી નહીં લીધી હોય તેઓ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પણ પ્રવેશ મેળવી શકશે નહીં.

આ આદેશનું પાલન નહીં કરનારી વ્યક્તિઓ સામે વહિવટીતંત્ર ડિઝાસ્ટર  મેનેજમેન્ટ  એક્ટ  તથા એપિડેમિક  ડિસીઝ  એક્ટ હેઠળ કાર્યવાહી થશે. 

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઓછા પ્રમાણમાં રસીકરણ થયાનું  જણાયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

એસ.ટી. કર્મચારીઓનું આંદોલન: એસ.ટી મહામંડળે કરી કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં આટલા હજાર કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More