Site icon

નારાયણ રાણેને હજી પણ રાહત નહીં, હવે નાશિક પોલીસે મોકલી નોટિસ, 2 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે આપત્તિજનક વિધાન કરનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન તો મળી ગયા છે, છતાં તેમને હજી રાહત મળી નથી. હવે નાશિક  સાયબર પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણે વિરુદ્ધ નોંધાયેલી FIRને મુદ્દે નાશિક પોલીસે નોટિસ મોકલી છે. તેમને 2 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં જનયાત્રા કાઢનારા નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એથી તેમની સામે નાશિકમાં ગુનો નોંધાયા બાદ રત્નાગિરિમાં પણ ગુનો  નોંધાયો હતો. નાશિક પોલીસ તેમની ધરપકડ માટે ચિપલૂણ ગઈ હતી, જોકે તે અગાઉ રત્નાગિરિમાં પણ ગુનો નોંધાયો હોવાથી તેમની રત્નાગિરિ પોલીસે ધરપકડ કરી હતી. રાતના રાયગઢના મહાડ કોર્ટમાંથી તેમને શરતી જામીન મળ્યા હતા. એ મુજબ રાણેને 31 ઑગસ્ટ અને 13 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. તેમ જ ભવિષ્યમાં આ પ્રકારનાં નિવેદનો આપવાથી દૂર રહેવું પડશે. જોકે હવે નારાયણ રાણેને નાશિક પોલીસની નોટિસ મળી છે, તેથી 2 સપ્ટેમ્બરના નાશિકમાં હાજર થવું પડશે. તપાસમાં સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું હોવાથી હાલ રાણેની ધરપકડની આવશ્યકતા ન હોવાનું નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું હતું.

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version